Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

અમદાવાદના લાલા દરવાજા પાસે મુખ્યમંત્રી વિજયભાઈ કરશે ઉપવાસ :લોકશાહી બચાવવા અનશન ઉપર ઉતરશે

 

અમદાવાદ :ભાજપ દ્બારા કાલે દેશભરમાં ઉપવાસ થનાર છે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ કાલે અમદાવાદના લાલદરવાજા અપના બજાર ખાતે ઉપવાસ કરશે. સાંજના 5 વાગ્યા સુધી તેઓ લોકશાહી બચાવવા માટે ઉપવાસ કરશે. જોકે સામે પક્ષે કોંગ્રેસે આંદોલનને સરકારી નિષ્ફળતા ગણાવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે,વડાપ્રધાન મોદી અને અમિતભાઈ  શાહ પણ 12મી એપ્રિલના રોજ એક દિવસીય ઉપવાસ કરવાના છે. દિલ્હી ભાજપના સાંસદ મીનાક્ષી લેખી અને ડોક્ટર હર્ષવર્ધને પાર્ટીના કાર્યકરતાઓને સતર્ક રહેવા જણાવ્યું છે. જાહેર જગ્યાએ ખાવા પર અને કેમેરાથી બચવાની સલાહ પણ આપી દેવાઈ છે

  પહેલા મંગળવારે કોંગ્રેસ દ્વારા ઉપવાસનું આયોજન કરવામાં આવેલ,જેમા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી કાર્યકરો સાથે રાજઘાટ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ઉપવાસ કરેલ. સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ઉપવાસનું આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત અન્ય નેતાઓ અને કાર્યકરો જોડાયેલ. જો કે ઉપવાસના દિવસે કોંગ્રેસના કેટલાક નેતાઓ નાસ્તો કરતા કેમેરામાં ક્લિક થયા હતા અને તેમનો ફોટો વાયરલ પણ થયો હતો. ત્યારે આવતીકાલે રૂપાણી સહિત ભાજપના અન્ય નેતાઓ ઉપવાસ કાર્યક્રમમાં જોડાશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

(10:18 pm IST)