Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના રોગચારાનો ભરડો :ચાર દિવસમાં 70થી વધુ દર્દીઓ નોંધાયા

માછીવાડ, વાણીયાવાડ, પારસીવાડ તેમજ લીમડીચોક અને નીઝામવાડી સહિતના લોકોમાં રોષ

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ઝાડા ઉલટીના રોગચારાએ ભરડો લીધો છે અને દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. વેજલપુર અર્બન હેલ્થ સેન્ટરમાં તારીખ ૬ એપ્રિલથી ૯ એપ્રિલ સુધી ૭૦થી પણ વધુ દર્દીઓ નોંધાયા છે.જેના પગલે પશ્ચિમ વિસ્તારના માછીવાડ, વાણીયાવાડ, પારસીવાડ તેમજ લીમડીચોક અને નીઝામવાડી સહિતના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર સ્વચ્છતાથી આરોગ્યલક્ષી સુવિધા પૂરી પાડવામાં નિષ્ક્રિય હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

(12:48 am IST)