Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સુરતમાં ચારિત્ર્ય અંગે શંકા રાખી પત્ની સાથે વારંવાર ઝઘડો કરી દારૂડિયા પતિનો પત્ની પર જીવલેણ હુમલો: પોતે ફાસો ખાઈ જીવન ટુંકાવતા બે માસુમ બાળકીઓએ માતા-પિતાની છત્ર છાયા ગુમાવી

સુરત:ભટારના રસુલાબાદમાં ચારિત્ર્ય અંગે શંકા રાખી વારંવાર ઝઘડા કરનાર પત્નીએ પુત્રીને આપવાનો ઇન્કાર કરતા દારૂડિયા પતિએ પત્નીને ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પતિ-પત્નીના રોજબરોજના ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો હતો અને બે માસુમ પુત્રીઓએ એક સાથે માતા-પિતાનું છત્ર ગુમાવી દીધું હતું.

ભટારના આઝાદનગર નજીક રસુલાબાદમાં ગત રોજ ઘરેલું કંકાશનો કરૂણ અંજામનો કિસ્સો બનવા પામ્યો હતો. રસૂલાબાદની ગલી નં. 11માં રૂમ નં. 45માં રહેતા અને છુટક મજુરી કામ કરતા રવિ નામદેવ ખંડારે (ઉ.વ. 25) અને તેની પત્ની મોહિની (ઉ.વ. 23) વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડા થતા હતા. દારૂ પીવાની કુટેવ ધરાવતો રવિ મોહિનીના ચારિત્ર્ય અંગે શંકા રાખી શારિરીક-માનસિક ત્રાસ આપતો હતો. જેથી મોહિની તેની મોટી પુત્રીને તેના પિયર મહારાષ્ટ્ર ખાતે મુકી આવી હતી અને નાની પુત્રી ક્રિતીકાને પોતાની સાથે રાખતી હતી. દરમ્યાનમાં પંદેરક દિવસ અગાઉ રવિ અને મોહિની વચ્ચે પુનઃ ઝઘડો થતા રવિ ઘર છોડીને ચાલ્યો ગયો હતો. જો કે ગત રોજ બપોરના અરસામાં રવિ પરત ઘરે આવ્યો હતો અને વતન મહારાષ્ટ્રના અકોલા ખાતે માતાનગર જવાનો હોવાથી પુત્રી ક્રિતીકાને લેવા આવ્યો હતો. પરંતુ મોહિનીએ પુત્રીને આપવાનો ઇન્કાર કરી દેતા તેઓ વચ્ચે પુનઃ ઝઘડો થયો હતો. જેથી ઉશકેરાટમાં આવી રવિએ પત્ની મોહિની પર ચપ્પુ વડે હુમલો કરી પેટ, મોંઢા, છાતી અને પીઠના ભાગે સંખ્યાબંધ ઘા ઝીંકી દીધા હતા. 

(5:15 pm IST)