Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સુરતના વરાછામાં દેવું વધી જતા મોબાઈલ દુકાનદારે ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી મચી જવા પામી

સુરત: શહેરના વરાછા મીનીબજાર વિસ્તારમાં રહેતા મોબાઇલના દુકાનદારે ધંધામાં ખોટ જતા રૂા. 25 લાખનું દેવુ વધી જતા ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવાર શોકમગ્ન બની ગયું છે.

મૂળ અમરેલી જિલ્લાના અને છેલ્લા કેટલાક વર્ષોથી વરાછા મીનીબજાર વિસ્તારમાં ભાતની વાડી નજીક પાર્વતી સોસાયટીમાં રહેતો હરકિશન વિનોદ પટેલ (ઉ.વ. 32) ગત રાત્રે 9 વાગ્યાના અરસામાં બેડરૂમના પંખાના હુક સાથે દોરી બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. 

હરકિશનના માતા-પિતા ગત સાંજે કામ અર્થે સંબંધીના ઘરે ગયા હતા ત્યારે એકલતાનો ગેરલાભ લઇ આપઘાતનું પગલું ભરી લીધું હતું. માતા-પિતા સંબંધીના ઘરેથી પરત આવ્યા ત્યારે પુત્રની ફાંસો ખાધેલી હાલતમાં લાશ જોઇ ચોંકી ગયા હતા. ઘટનાની જાણ થતા વરાછા પોલીસ તુરંત જ ઘસી ગઇ હતી. 

(5:13 pm IST)