Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

કપડવંજમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 18 હજારથી વધુની મતાની ઉઠાંતરી કરી રફુચક્કર

નડિયાદ : કપડવંજમાં રહેતો એક પરિવાર ઉર્સ કરવા મકાન બંધ કરી ગયો હતો તે દરમ્યાન તેમના મકાનમાંથી તસ્કરોએ રૂપિયા ૧૮,૮૦૦ની મતા ચોરી હોવાની ફરિયાદ કપડવંજ પોલીસમાં નોંધાઈ છે.

કપડવંજમાં આવેલ સમજોતા નગરીમાં રહેતા સિરાજખાન મહેમુદખાન પઠાણ પોતાનું મકાન બંધ કરી ઉર્સ કરવા દરગાહ પર ગયા હતા. દરમ્યાન તેમના બંધ મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી તિજોરીમાં મૂૂકેલ સોના-ચાંદીના દાગીના વગેરે મળી રૂપિયા ૧૮,૮૦૦ની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે કપડવંજ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે.

(5:06 pm IST)