Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 2,723 દુષ્કર્મની ઘટના બની: અમાદાવાદ જિલ્લો પ્રથમ: બીજાક્રમે સુરત

અમદાવાદ : રાજ્યમાં દુષ્કર્મ અને સામુહિક દુષ્કર્મના કેસ અંગે વિધાનસભામાં કોંગ્રેસે સવાલ સરકારને સવાલ કર્યા છે. રાજ્યમા છેલ્લા બે વર્ષમાં બે હજાર 723 કેસ દુષ્કર્મના કેસ નોંધાયા છે. એટલે કે રાજ્યમાં દરરોજ 3થી 4 દુષ્કર્મની ઘટના બની રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપના શાસનમાં રાજ્યમાં દુષ્કર્મની ઘટના વધી છે. જેમા સૌથી વધારે બળાત્કારના ગુના અમદાવાદમાં 540 નોંધાયા છે. ત્યારે બીજા નંબરે સુરત આવે છે. જ્યાં 2 વર્ષમાં 452 કેસ પોલીસ ચોપડે નોંધાયા છે.

(1:15 pm IST)