Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

તિજોરી કચેરીમાં તા.૩૦મી બપોર સુધી બીલ સ્વીકારાશે

ગાંધીનગર તા. ૧૧: નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ પૂર્ણ થવાના આરે છે. રાજયની તિજોરી કચેરીઓમાં બિલો સ્વીકારવા માટે ખૂબ જ ઓછો સમય બાકી રહેલ છે. બિલોના સ્વીકાર, ચકાસણી અને ચૂકવણા માટે પૂરતો સમય મળી રહે તે હેતુથી રાજયની સર્વે તિજોરી/પેટા તિજોરી કચેરીઓમાં તા. ૩૦/૩ સોમવારના રોજ બપોરના ૩.૦૦ કલાક સુધી જ બિલોનો સ્વીકાર કરવામાં આવશે. આથી સર્વે સંબંધિત અધિકારીઓ/કર્મચારીઓને આ બાબતે સમયસર કાર્યવાહી અચૂકપણે થાય તેની પૂરતી કાળજી રાખવા નાણા વિભાગના નાયબ સચિવ કે. કે. પટેલે જણાવ્યું છે.

(11:47 am IST)