Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ડાકોર, અમદાવાદ - સોલા ભાગવત, દ્વારકા, શામળાજીમાં ભાવિકો કૃષ્ણભકિતના રંગે રંગાયા

હોળી - ધૂળેટીના પર્વમાં અબીલ ગુલાલની છોળો ઊડી : ભાવિકોએ મન મૂકીને ભકિતનો ઉત્સવ માણ્યો : વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં હોળી - ધૂળેટીના પર્વમાં આઠ લાખ વૈષ્ણવો - ભાવિકો રણછોડરાયજી સાથે ધૂળેટી રમ્યા : ગઇકાલે ધુળેટીના પર્વમાં રણછોડરાયજીને આસોપાલવના ઝૂલે ઝુલાવી ફૂલડોલોત્સવ હર્ષોલ્લાસથી ઉજવાયો, શિખંડ - દ્રાક્ષનો ભોગ ધરાવાયો

અમદાવાદમાં આવેલા સોલા ભાગવત વિદ્યાપીઠ મંદિરમાં શ્રી રસરાજ પ્રભુ સન્મુખ ફૂલડોલોત્સવ ઉજવાયો હતો. જેમાં હજારો ભાવિકો ઉમટયા હતા.

મુંબઇ તા. ૧૧ : ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ઘ યાત્રાધામ ડાકોર, દ્વારકા, શામળાજી, અમદાવાદ સ્થિત સોલા ભાગવત સહભસ્મિતનાં મંદિરોમાં ગઈ કાલે ધુળેટીના ઉત્સવમાં લાખો ભાવિકો કૃષ્ણભકિતના રંગે રંગાયા હતા. ડાકોરમાં હોળી- ધુળેટીના બે દિવસમાં આઠ લાખથી વધુ ભાવિકોએ રણછોડરાયજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગઈ કાલે ભગવાન શ્રી રણછોડરાયજીને આસોપાલવના તોરણમાં બભસ્મિરાજમાન કરાવીને ઝૂલામાં ભાવથી રૂલાવીને ફૂલડોલોત્સવ હર્ષોલ્લાસપૂર્વક ઊજવાયો હતો.

હોળીના પર્વ પર પદયાત્રા કરીને ડાકોર જવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે ત્યારે આ વર્ષે પણ લાખો ભાવિકો પદયાત્રા કરીને ડાકોરના ઠાકોરના ધામમાં પહોંચ હતા. ડાકોર મંદિરના અસિરટન્ટ મેનેજર રવીન્દ્ર ઉપાધ્યાયે કહ્યું હતું કે  'ગઈ કાલે મંદિરમાં ફુલડોલોત્સવ ઉત્સવ ઊજવાયો હતો. મંદિરમાં હિંડોળો બનાવ્યો હતો. આસોપાલવના તોરણમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા હતા. સોના-ચાંદીની પિચકારીથી તેમ જ અબીલગુલાલ સહભસ્મિત પંચકલર ભગવાન પર અને ભાવિકો પર છાંટવામાં આવ્યો હતો. ધુળેટીના વિશેષ દિને ભગવાનને શિખંડનો ભોગ ધરાવ્યો હતો તેમજ દ્રાક્ષનો બંગલો બનાવી ધરાવ્યો હતો. ગઈ કાલે બપોર સુધીમાં મંદિરમાં ત્રણ લાખથી વધુ અને હોળીના દિવસે પાંચ લાખથી વધુ ભાવિકોએ દર્શન કર્યા હતાં.'

અમદાવાદમાં આવેલા વિશ્વપ્રસિદ્ર સોલા ભાગવત વિદ્યાપીઠ મંદિરમાં ગઈ કાલે શ્રી રસરાજ પ્રભુ સન્મુખ ફૂલડોલોત્સવ ઉત્સવ ઊજવાયો હતો, વૈષ્ણવોએ શ્રીહરિને ભાવથી ભીંજવ્યા હતા. મંદિરમાં ઊજવાયેલા ફૂલડોલોત્સવમાં હજારો ભાવિકો ઊમટ્યા હતા અને મંદિરમાં અબીલગુલાલની છોળો ઊડી હતી અને ભાવિકોએ હર્ષોલ્લાસથી ઉત્સવ ઊજવ્યો હતો.

બીજી તરફ અમદાવાદના વિશ્વપ્રસિદ્ઘ જગન્નાથ મંદિરમાં ફૂલોથી ધુળેટીનો ઉત્સવ ઊજવાયો હતો. ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી પર ભાવિકોએ ફલોની છોળ ઉડાડીને ભાવથી રંગ્યા હતા.

(11:46 am IST)