Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

રાજ્યના રત્નકલાકારો વિવિધ માંગ સાથે ગાંધીનગર પહોંચ્યા : ડે ,સીએમએ આપ્યું આશ્વાસન કહ્યું - મુખ્યમંત્રીનું ધ્યાન દોરશે

નારાજ રત્નકલાકારોએ કહ્યું સરકારમાં એક બીજાને ખો આપવામાં આવે છે.

અમદાવાદ : રાજ્યના રત્નકલાકારો આજે પોતાની વિવિધ માંગણીઓ સાથે ગાંધીનગર પહોચ્યા હતા  રત્નકલાકારોની માગ છે કે તેમને અલગથી આવાસ ફાળવવામાં આવે અને તેમના બાળકોના અભ્યાસ માટે પણ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે. આ મામલે નાયબ મુખ્યમંત્રીએ એવું આશ્વાસન આપ્યું કે આ બાબતે મુખ્યમંત્રીનું ધ્યાન દોરશે. જોકે રત્ન કલાકારો હવે ધારાસભ્ય સાથે ફરી રજુઆત કરવા માટે આવશે અને મુખ્યમંત્રીને તેઓ તેમની વિવિધ માંગણીઓની રજૂઆત કરશે.

રત્ન કલાકારો નાયબ મુખ્યમંત્રીના જવાબથી નારાજ થયા છે. રત્ન કલાકારોનો આક્ષેપ છે કે સરકારમાં એક બીજાને ખો આપવામાં આવે છે. નાયબ મુખ્યમંત્રીએ મારા વિભાગમાં આવતું ન હોવાનું કહી વાત ટાળી, નાયબ મુખ્યમંત્રીએ રત્ન કલાકારોને મુખ્યમંત્રીને ધ્યાન દોરીશું એવું આશ્વાસન આપ્યું.

(11:16 pm IST)