Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

કાલે સોલા અમદાવાદ ખાતે પાટીદાર સમાજનું લવ - કુશ મહાસંમેલન : વિજયભાઈના હસ્તે ઉદ્ઘાટન

અમદાવાદઃ આવતીકાલે અમદાવાદના સોલા સ્થિત ભાગવત વિદ્યાપીઠ ખાતે લવકુશ પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. લેઉવા- કડવા પાટીદાર સમાજના લોકો આ ભાવાત્મક મહાસંમેલનમાં હાજર રહેશે.

મહાસંમેલનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થશે. સમારંભના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. સમારંભના મુખ્ય મહેમાન તરીકે શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા (કેન્દ્રીય મંત્રી), શ્રી નરહરિભાઈ અમીન (ઉપાધ્યક્ષ- આયોજન પંચ) તથા શ્રી પરેશભાઈ ધાનાણી (વિરોધપક્ષના નેતા, ગુજરાત વિધાનસભા) ઉપસ્થિત રહેશે.

પાટીદાર સમાજના લેઉઆ- કડવા લોકોના એકત્વસમા આ ભાવાત્મક સંમેલન કાલે તા.૧૨ને રવિવારે સવારે ૯ કલાકે ભાગવત વિદ્યાપીઠ, એસ.જી.હાઈવે, સોલા, અમદાવાદ ખાતે યોજાશે.

(1:10 pm IST)