Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

વડોદરામાં નિઝામપુરામાં દબાણ હટાવવા ગયેલ કર્મચારીઓ ઉપર પથ્થરમારો:પોલીસ કાફલો દોડ્યો

વડોદરા ;શહેરના નિઝામપુરા વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલા કર્મચારીઓ પર પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બની ગયું હતું.નવા યાર્ડ વિસ્તારમાં સંતોક ચેમ્બર્સ પાસેનાં દબાણ હટાવવા માટે ત્યાં પહોંચ્યા હતાં. ત્યારે પથ્થરમારો થતાં દબાણશાખાને કાર્યવાહી રોકવાની ફરજ પડી હતી ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

  પાલિકાની દબાણ શાખાની ટીમે કોઈ નોટિસ વગર દબાણ હતાવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિકો દ્વારા રસ્તા પર પથ્થરોથી રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો.સ્થાનિકોનાં જણાવ્યા મુજબ મંદિર પાસે આવેલ હનુમાનજીની મૂર્તિ અને બેનરો પણ દબાણ શાખાની ટીમ લઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.

(1:03 am IST)