Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

જીએસટી અને પોલીસ કનડગતના વિરોધમાં અમદાવાદ રિલીફ રોડના મોબાઈલ-ઇલેક્ટ્રોનિક્સ વેપારીઓએ બંધ પાળ્યો

અમદાવાદ ;જીએસટી અને પોલીસ કનડગતના વિરોધમાં રિલીફ રોડ પરનાં મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોનાં વેપારીઓએ બંધ પાળતાં અનેક તર્ક વિતર્કો સર્જાયાં હતાં રિલીફ રોડ પર મોબાઇલ અને ઇલેક્ટ્રોનિકનાં વેપારીઓની અનેક દુકાનો આવેલી છે.

 વેપારીઓ મુજબ GST અને પોલીસની કનડગત સતાવી રહી છે જેને કારણે તેઓએ બંધ પાળ્યો હતો વેપારીઓના જણાવ્યા મુજબ જ્યારથી દેશમાં GST લાગુ થયું ત્યારથી તમામ વેપારીઓમાં મુશ્કેલી સર્જાઇ રહી છે. તેમજ તેઓનાં કહેવા મુજબ પોલીસની હેરાનગતિ તેમને સતત સતાવી રહી છે જેથી તેઓએ બંધ પાળ્યો છે.

(11:47 pm IST)