Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

સાઈનાઈડ કંપનીને NGTનો ઝટકો :એન્વાયરમેન્ટ કલીયરન્સ રદ્દ:ખેડૂતોનો વિજય

સુરતઃ સાઈનાઈડ કંપનીને NGTએ ઝટકો આપ્યો હતો. કંપનીનું એન્વાયરમેન્ટ કલીયરન્સ રદ્દ કરાયું છે. ઓલપાડ તાલુકામાં આવેલી આ સાઈનાઇડ કંપની હિન્દુસ્તાન કેમિકલ લીમીટેડથી રજીસ્ટર છે. 2013માં પર્યાવરણ મંત્રાલયે મંજુરી આપી હતી.

 સોડીયમ સાઈનાઈડનું ઉત્પાદન વધારવાની મંજુરી મળી હતી. 2200 ટનથી વધારી 5100 ટન ક્ષમતા કરવાની મંજુરી અપાઈ હતી. ખેડૂતોએ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ કર્યો હતો. લોકોની રજૂઆત બાદ NGTએ એનવાયરમેન્ટ કિલયરન્સ રદ કર્યું હતું.

(10:27 pm IST)