Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ખેડા જીલ્લાના ગળતેશ્વરમાં અપમૃત્યુની બે જુદી-જુદી ઘટનાથી ચકચાર

ખેડા: જીલ્લાના ગળતેશ્વર પંથકમાં બે આજે દિવસ દરમ્યાન બે અપમૃત્યુના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં તાલુકાના ટીંબાના મુવાડામાં રહેતી પરીણિતાએ કોઈ અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. જ્યારે બીજી ઘટનામાં બળેવીયા ગામે  રહેતા એક બાળકનું આકસ્મિક મોત થયુ છે. આ બન્ને બનાવો અંગે સેવાલીયા પોલીસ મથકે અપમૃત્યુની નોંધ કરાઈ છે.

પહેલા બનાવની વિગતો મુજબ તાલુકાના ટીંબાના મુવાડા ગામે હજાયવસીંગ નિર્મળસિંગ રહે છે. તેઓ મુળ પંજાબના વતની છે અને છેલ્લા કેટલાય સમયથી ઉપરોક્ત ગામે પોતાના પરિવાર સાથે રહે છે. તેઓની પત્ની કુલબિન્દરકોર (ઉં.વ.૩૨) ગઈકાલે સમી સાંજે પોતાના ઘરે એકલા હતા. આ દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર તેઓએ પોતાની જાતે રસ્સા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ બનાવ અંગે હજાયવસીંગની ફરિયાદના આધારે સેવાલીયા પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.   આ ૫રીણિતાની કોઈએ હત્યા કરી છે તેવુ નગરજનોમાં ચર્ચાઈ રહ્યુ છે. જ્યારે પોલીસે આ દિશામાં એફએસએલની ટીમ મારફતે તપાસ પણ ચલાવી છે.
અન્ય એક બનાવ બળેવીયા ગામે બન્યો હતો. આ ગામે રહેતા કિરણસિંહ ફતેસિંહ પરમારનો દિકરો મેહુલ (ઉં.વ.૧૧)નું આજ રોજ આકસ્મિક મોત નિપજ્યું છે. જેમાં મેહુલ આજે સવારે દસ વાગ્યાની આસપાસ પોતાના ઘરના આંગણામાં રમતો હતો ત્યારે અચાનક તેને ખેંચો અને ચક્કર આવતા તે બે ભાન થઈ જમીન ઉપર ઢળી પડયો હતો. તેથી તેને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં મેહુલનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આ બનાવ અંગે મહેશભાઈ ફતાભાઈ પરમારની ફરિયાદના આધારે સેવાલીયા પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે.

(6:35 pm IST)