Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પાકિસ્તાનમા મહેશ્વરી સમાજના બે વેપારીની હત્યાનો વડોદરામાં પડધો

માહેશ્વરી સમાજના લોકોએ મૌન ધારણ કરી રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

વડોદરા : પાકિસ્તાનના મીઠી ખાતે મહેશ્વરી સમાજના બે વેપારીની ગોળી મારી હત્યાના બનાવના વડોદરામાં ધેરા પડધા પડ્યા છે વડોદરામાં પાકિસ્તાનના વિરોધમાં માહેશ્વરી સમાજના લોકોએ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.મૂળ રાજસ્થાનના માહેશ્વરી સમાજના લોકોનો મુખ્ય વ્યવસાય વેપારનો હોય છે.પાકિસ્તાનના મીઠી ખાતે માહેશ્વરી સમાજના લોકો મોટી સંખ્યામાં રહે છે તાજેતરમાં હિંદૂ માહેશ્વરી સમાજના બે વ્યકિતઓની તેમની જ દુકાનમાં લુંટ ચલાવી ગોળી મારી હત્યા કરી દેવાયી હતી પાકિસ્તાનની સ્થાનિક પોલીસ દ્વારા આરોપીઓને પકડવામાં આવ્યા નથી કે તેઓના પરિવાર ને કોઈ સહાય કે સાંત્વના આપવામાં આવી નથી. જેને લઈને ભારતના માહેશ્વરી સમાજના લોકોમાં રોષ વ્યાપ્યો છે.

(4:07 pm IST)