Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ગુજરાતમાં પણ રાણી પદ્માવતી ફિલ્મ ઉપર આવી શકે છે ‘બેન’

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળેલા ગુજરાત રાજપૂત યુવા સંઘના અગ્રણીઓને મૌખિક ખાત્રી : ૨૫મી સુધીમાં આવી શકે હુકમ : ત્યારબાદ પ્રસારણ ઉપર રોક નહિં આવે તો સોમનાથ મંદિરના પટાંગણમાં શરૂ થશે ઉપવાસ

રાજકોટ, તા. ૧૧ : ગુજરાત રાજપૂત યુવા સંઘના ડો. જયેન્દ્રસિંહ જાડેજા મહેન્દ્રસિંહ સરવૈયા અને વિશાળ સંખ્યામાં યુવા અગ્રણીઓ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને રૂબરૂ મળી રાજપૂત સમાજના ગૌરવ સમાન સતી રાણી પદ્માવતી પર ફિલ્માવાયેલ ફિલ્મને રાજસ્થાન માફક ગુજરાતમાં પણ બેન કરવા વિસ્તૃત રજૂઆત કરી હતી. આ રજૂઆતના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ફિલ્મ ઉપર રોક લગાવવા જરૂરી હુકમો કરશે તેવી મૌખિક ખાતરી આપ્યાનું સંઘના અગ્રણી ડો. જયેન્દ્રસિંહ જાડેજાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું. તેમણે જણાવેલ કે આગામી ૨૫મી સુધીમાં ગુજરાતમાં આ ફિલ્મનું પ્રસારણ અટકાવતો હુકમ થઈ શકે છે. સંબંધિત તારીખ બાદ જા રાજપૂત ક્ષત્રિય સમાજની લાગણી - માંગણી જા ધ્યાને નહિં લેવામાં આવે તો ત્યારબાદ સોમનાથ મહાદેવના પટાંગણમાં અમો ઉપવાસ આંદોલન શરૂ કરીશુ. (૩૭.૧૫)

(4:05 pm IST)