Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

પ્રાતિજમાં પરિવાર બહાર ગયાનો લાભ લઇ ગઠિયાએ મકાનમાં લૂંટ ચલાવી: 3.58 લાખની મતાની તફડંચી

પ્રાંતિજ: શહેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં મહેશભાઈ ચૌહાણ મકાન બંધ કરી સામાજિક કામાર્થે મુંબઈ ગયા હતા ત્યારે શુક્રવારની રાત્રે કોઈ ઈસમોએ ઘરનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીના દરવાજા તોડી અંદર મૂકેલ  સોનાના દાગીના તેમજ રોકડ મળી રૃ. ૫૮,૬૦૦ની મતા ચોરી ગયા હતા.

પ્રાંતિજના શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા વૃંદાવનપાર્ક સોસાયટીમાં રહેતા મહેશભાઈ સોમાભાઈ ચૌહાણ પરિવાર સાથે મકાન બંધ કરીને સામાજિક કામાર્થે મુંબઈ ગયા હતા.

ત્યારે શુક્રવારની રાત્રીએ ઈસમોએ તેમના બંધ મકાનના મેઈન દરવાજાનો નકુચો તોડી તાળુ તોડી ઘરની અંદર પ્રવેશ કરી તિજોરીના દરવાજા તોડી તિજોરીમાંથી વેરવિખેર કરી તિજોરીમાં મૂકેલી સોનાચાંદીના દાગીના તેમજ રોકડ સહિત રૃ. ૩,૫૮,૬૦૦ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

(5:23 pm IST)