Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

પૂર્વ છાત્રો દ્વારા શિક્ષકોનું સન્માન

અમદાવાદઃ મણિનગરમાં શ્રી રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા સંચાલિત શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા તથા શ્રી સરસ્વતી મંદિર હાઈસ્કૂલ ભૂતપૂર્વ વિધાર્થી દ્વારા  શ્રી રામકૃષ્ણ કેન્દ્ર જગાભાઈ પાર્ક ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા શ્રી રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા સંચાલિત ચાર શાળાના ભૂતપૂર્વ શિક્ષકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોનું  શાલ ઓઢાડી ને સન્માનનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં આશરે ૧૦૫૦ થી વધુ ભૂતપૂર્વ વિધાર્થી અને ૨૦૦ થી વધુ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા અને જુના સંસ્મરણો વાગોળ્યા હતા.

(3:58 pm IST)