Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

નવસારીમાં કાચા કામના કેદીએ જમીન અરજી નકારાઈ જતા આત્મહત્યા કરતા ચકચાર

નવસારી:માં કાચા કામના કેદીને જામીન અરજી નકારવામાં આવી હતી. જેથી છેલ્લા ૩ માસથી જેલમાં રહેતા કાચાકામના કેદીએ કોઈ અગમ્ય કારણોસર જેલમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.

નવસારીની સબજેલમાં મારા મારીના ગુનામાં છેલ્લા ૩ માસથી કાચાકામના કેદી ઈમ્તિયાઝ સબીર શેખ જે 9 નંબરની બેરેકમાં હતો. જેણે કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે કોર્ટે નકારતા છેલ્લા ૩ માસથી નવસારી સબ જેલમાં કાચા કામના કેદી તરીકે યાતના ભોગવી રહ્યો હતો.

આજરોજ કોઈ અગમ્ય કારણોસર પોતાની બેરેકમાં બ્લેડથી પોતાના હાથ અને પગની નશો કાપી નાખી લોહી લુહાણ થયો હતો. તેની જાણ જેલરને થતા તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં સારવાર દરમ્યાન કેદીનું મોત થયું છે. કેદીનું મોત થતા જેલમાં કેદીઓ માટેની દેખરેખ મુદ્દે સવાલો ઉભા થઇ રહ્યા છે. તો કેદી સુધી બ્લેડ જેવી જીવલેણ વસ્તુ પહોંચી કેવી રીતે? તે એક મોટો સવાલ જેલ પ્રસાશન સામે થઇ રહ્યો છે.

(1:15 pm IST)