Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

રાજ્યમાં સ્વાઈનફ્લૂથી વધુ બે લોકોના મોત :છેલ્લા 24 કલાકમાં 62 કેસ નોંધાયા

 

અમદાવાદ :રાજયમાં સ્વાઇન ફલૂનો કહેર યથાવત છે સ્વાઇન ફલૂના કારણે વધુ 3 દર્દીઓના મોત નિપજ્યા છે સ્વાઇન ફલૂના કારણે મૃત્યુઆંક 30 સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામનાર 2 દર્દીઓ રાજકોટ અને જામનગરમાં સારવાર લઇ રહ્યા હતા સુરત ખાતે પણ એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

   સ્વાઇન ફલૂના કારણે છેલ્લાં 24 કલાકમાં વધુ 62 દર્દીઓ સ્વાઇન ફલૂનો શિકાર બન્યા છે. જેમાં અમદાવાદ ખાતે સ્વાઈન ફ્લુના સૌથી વધુ 24 કેસ નોંધાયા છે. હાલમાં સ્વાઇન ફલૂના 402 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જ્યારે કે 1 સપ્ટેમ્બરથી આજ સુધી સ્વાઇન ફલૂના કુલ 1152 કેસ નોંધાઇ ચૂક્યા છે.

(9:21 pm IST)