Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

નર્મદા ડેમની જળસપાટી 119.41 મીટર પહોંચી : છેલ્લા 24 કલાકમાં 41 સેન્ટીમીટરનો વધારો

ઉપરવાસમાંથી હાલ 14,251 ક્યુસેક પાણીની આવક :હાલ ડેમમાં 4833.73 MCM લાઈવ સ્ટોરેજ

અમદાવાદ :  રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની સપાટીમાં 41 સેન્ટી મીટરનો વધારો નોંધાયો છે. ડેમમાં ઉપરવાસમાંથી હાલ 14,251 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેની સાથે જ સરદાર સરોવર ડેમની સપાટી 119.41 મીટર થઈ છે. હાલ ડેમના પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરવામાં આવ્યા છે. હાલ સરદાર સરોવર ડેમમાં 4833.73 MCM લાઈવ સ્ટોરેજ છે.

(12:47 pm IST)