Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

જૂનાગઢમાં સનાતન ધર્મ સંમેલન બાદ પૂજ્ય મોરારીબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચેના વિવાદનો સુખદ અંત

જૂનાગઢ ખાતે આજે મળેલા સનાતન ધર્મ સંમેલન બાદ પૂજ્ય મોરારી બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચેના વિવાદનો સુખદ અંત આવ્યો છે તેમ પૂજ્ય ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતુ 

       આજે બપોરે પ્રેરણા ધામ ખાતે સનાતન ધર્મ સંમેલન મળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંતો-મહંતો અને કથાકારો ઉપસ્થિત રહ્યા હતા સંમેલન બાદ પત્રકારો સાથે વાતચીત કરતા પૂજ્ય ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે આ સંમેલન ની સફળતા મળી છે અને પૂજ્ય મોરારી બાપુ અને સ્વામિનારાયણ સંતો વચ્ચેના વિવાદનો અંત આવ્યો છે પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણના સંતો તેમજ જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલ તથા સનાતન ધર્મ ના સંતો ની ઉપસ્થિતિમા સમાધાનકારી વલણ અપનાવીને આ વિવાદનો અંત આવ્યો છે

(8:50 pm IST)