Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સોજીત્રાની ધજાશેરીમાં અગાઉ ગૂમ થયેલ 46 વર્ષીય શખ્સનો મૃતદેહ તારાપુર નજીક નહેરમાંથી મળી આવતા ચકચાર: પરિવારમાં માતમ છવાયો

સોજીત્રા: શહેરની ધજાશેરી ખાતે રહેતા પરેશભાઈ ભાલચન્દ્રભાઈ સથવાર (ઉ. વ. ૪૬)નડીઆદ ખાતે ચશ્માની દુકાનમાં નોકરી કરતા હતા. ગત ૭મી તારીખના રોજ તેઓ નીત્યક્રમ મુજબ પોતાનું બાઈક લઈને નોકરી પર ગયા હતા ત્યારબાદ પરત ફર્યા નહોતા. દરમ્યાન ગઈકાલે તારાપુર-ખંભાત રોડ ઉપર આવેલા નહેરના ગરનાળામાંથી એક પુરૂષની લાશ મળી આવતાં જ તેની તપાસ હાથ ધરતાં આ લાશ પરેશભાઈની જ હોવાનુ ંખુલવા પામ્યું હતુ. તેમના પરિવારજનોને જાણ કરતાં તેઓ સ્થળ પર આવી ચઢ્યા હતા અને લાશની ઓળખવિધિ કરી હતી.

આ અંગે તારાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરતાં પરેશભાઈનું બાઈક સોજીત્રા તાલુકાના કાસોર પાસેથી પસાર થતી નહેર પરથી મળી આવ્યું હતુ. પરેશભાઈએ આત્મહત્યા કરી કે પછી કોઈએ નહેરમા નાંખી દઈને ઠંડા કલેજે હત્યા કરી ? તેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે.

(6:08 pm IST)