Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે જળસ્તરમાં વધારો : નદીની સપાટી 29 ફૂટે પહોંચી : ભયજનક સપાટીથી 5 ફૂટ ઉપરથી વહેતા પાણી

કાંઠાના વિસ્તારોમાં નર્મદાના [પાણી ઘુસ્યા : SDRF ટીમ તૈનાત : તંત્રએ NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખી

નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાયું છે. જેના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

  ભરૂચમાં નર્મદા નદીની જળસપાટી 29 ફૂટ પર પહોંચી ચૂકી છે. જે તેની ભયજનક સપાટીથી 5 ફૂટ ઉપર છે. ભયજનક કરતા ઉપર વહેતી નર્મદાને કારણે કાંઠાવિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. તો હજુ પણ નર્મદાનું જળસ્તર વધવાની શક્યતાને પગલે તંત્રએ NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખી છે.

(12:37 pm IST)