Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ભારત બંધ સામાન્ય જનતાની તકલીફોથી આત્મમુગ્ધ થયેલી મોદી સરકારને જગાડવા માટે છે: ’હાર્દિક પટેલ

અમદાવાદ :પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન આપ્યું છે. અમદાવાદ સહિત ભારતમાં કોંગ્રેસના કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા છે અને મોદી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કોંગ્રેસ સહિતના અન્ય સમુદાયો ભારત બંધમાં જોડાયા છે. હાર્દિક પટેલે પણ ટ્વિટ કરીને ભારત બંધને સમર્થન આપ્યું છે. હાર્દિકે ટ્વિટમાં કહ્યું કે-‘ભારત બંધ સામાન્ય જનતાની તકલીફોથી આત્મમુગ્ધ થયેલી મોદી સરકારને જગાડવા માટે છે’.

(12:35 pm IST)