Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ભરૂચના કાસદ ગામે નહેરમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી કરૂણમોત

સ્થાનિક તરવૈયાની મદદથી બંન્ને લાશને બહાર કાઢી: મૃતદેહ ને પી.એમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો

ભરૂચ જિલ્લાના કાસદ ગામે નહેરમા ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી કરૂણમોત  થયા હતાં. ઘટના અંગેની જાણ ભરૂચ પોલીસને થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

  બનાવની મળતી વિગત મુજબ ભરૂચ જિલ્લાના કાસદ ગામના બે યુવાનો નહેરના ન્હાવા માટે ગયા હતાં.નહેરમાં થોડા સમય ન્હાયા પછી બન્ને યુવાનોની લાશ પાણી ઉપર તરતી જોવા મળી હતી. નહેર પાસેથી પસાર થઈ રહેલા યુવાનોએ આ ઘટના અંગે ગામના સરપંચને જાણ કરી હતી.

  સરપંચ દ્વારા સ્થાનિક તરવૈયાની મદદથી બંન્ને લાશને બહાર કાઢી હતી. ઘટના અંગે ભરૂચ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ બન્ને યુવાનોના મૃતદેહ મેળવી મૃતદેહ ને પી.એમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

(8:57 pm IST)