Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

પાટણવાવ ખાતે અનોખી ગુરૂવંદના

 પી. ટી. એન્‍ડ ટી. વી. શેઠ વિદ્યાલય-પાટણવાવમાં ૧૯૭પ-૭૬ માં ન્‍યુ એસ.એસ.સી. માં અભ્‍યાસ કરતાં સર્વે ભાઇ-બહેનો પોતાનાં જીવનસાથી સહિત કમાર્યક્રમમાં હાજરી આપી હતી. આજથી ૪૭ વર્ષ પહેલાં જે શિક્ષકોએ તેમને ભણાવ્‍યા હતાં તેવા વયોવૃધ્‍ધ શિક્ષકો તથા તેમનાં ધર્મપત્‍નિઓને સ્‍કૂલમાં આમંત્રણ આપી, પુષ્‍પ ગુચ્‍છ તથા ગીતાજી અર્પણ કરી ચરણરજ સાથેનું જલ પોતાની આંખોએ અડાડવું. ત્‍યારબાદ બધાં ગુરૂજનોને શાલ ઓઢાળી બહુમાન કર્યું. ગુરૂજનોમાં મનુભાઇ પટોરીયા, જેન્‍તીભાઇ કનેરીયા, મહેન્‍દ્રભાઇ દેશાઇ, ગોરધનભાઇ ટાંક, ભાષ્‍કરભાઇ પાઠક, ભૂપતભાઇ પેથાણી તથા હીરાભાઇ પેથાણી હાજર રહ્યા હતાં. આ પ્રસંગે સ્‍વર્ગસ્‍થ ગુરૂજનોને તથા સ્‍વર્ગસ્‍થ સહપાઠીઓને યાદ કરી અને શ્રધ્‍ધાંજલિ અર્પણ કરી હતી. પ્રાસંગિક ઉદ્દબોધન ગોપાલભાઇ ખીરસરીયા એ કર્યું. સંચાલન રમણીકભાઇ ઠુંમર તથા પરસોતમભાઇ સેજાણીએ કર્યું. કાર્યક્રમને સફળ બનાવવામાં ભરતભાઇ પરમાર, અશોકભાઇ વસા, દિનેશભાઇ મેંદપરા, હરેશભાઇ વેકરીયા, માધવજીભાઇ ઠુંમર વિગેરે એ ઘણી જહેમત ઉઠાવી હતી.

(12:05 pm IST)