Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

વિદ્યાર્થી તેમજ શિક્ષકોને આજે સન્માનિત કરાશે

૩૦૦ વિદ્યાર્થીઓને ઈનામ અપાશે

અમદાવાદ, તા. ૧૦ : શાહપુર યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ જ આ વર્ષે પણ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૦૦ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીનવા ઉપ કુલપતિ તેમજ મંડળના સ્થાપક જગદીશ ભાવસાર, એએમટીએસના ચેરમેન અતુલ ભાવસાર, ભાજપના અમદાવાદ મહાનગરના મહામંત્રી કૌશિક જૈન ઉપસ્થિત રહેશે. શાહપુરને ગૌરવ અપાવનાર વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવનાર છે.

        દર વર્ષની જેમ જ કેજીથી ૧૨માં ધોરણમાં ૬૦ ટકાથી વધારે ગુણ મેળવનાર શાહપુરના પોળ વિસ્તારમાં રહેતા નાગરિકોના સંતાનોને સન્માનિત કરવામાં આવનાર છે. શાહપુરમાં ગરનાળાની પોળ પાસે સ્થિત ભાવસાર હોલમાં ૧૧મી ઓગસ્ટના દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

(9:18 pm IST)