Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ભરૂચના દહેજ ઔદ્યોગિક વસાહતમાં બિરલા કોપર કંપનીમાં ૨૦ ફૂટની ઉંચાઇએથી પડતા કામદારનું મોત

ભરુચ જિલ્લાની દહેજ ઔધ્યોગિક વસાહટ ખાતે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાયા છે તેમાં કંપની અને કોન્ટ્રાકટરોની બેદરકારીના પગલે કામદારોના મોત થતાં હોવાના કિસ્સા વધી રહ્યા છે આવોજ એક બનાવ સવારે લગભગ 7 વાગ્યાના અરસામાં બન્યો હતો જેમાં એક કામદાર કે જે બિરલા કોપર કંપનીમાં 20 ફૂટ કરતાં વધુ ઊચાઇ ધરાવતા ટાવર પર કામ કરી રહ્યો હતો તે અચાનક પટકાતાં તેને ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે લવાઈ રહ્યો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું આ બનાવમાં બિરલા કોપર કંપનીના કોન્ટ્રાકટ હેઠળ કામ કરતાં અખિલેશસિંઘ ઉમર વર્ષ 27 નું મોત નીપજયું હતું. કંપની અને કોન્ટ્રાકટરના બેદરકારી ભર્યા વલણ અને કામ કરવાની પદ્ધતી અંગે જાતજાતની તપાસ ચાલી રહી છે ત્યારે પોલીસતંત્ર ધ્વારા પણ આ અંગે સઘન તપાસ થવી જોઇએ તેવી લોક માંગ ઊભી થઈ છે.

(6:01 pm IST)