Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

નડિયાદના પ્રગતિનગરમાં હાઉસિંગ બોર્ડનું ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશાયી ;10થી વધુ લોકો દબાયાંની આશંકા

કલેક્ટર્ સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા :ફાયર બ્રિગેડના જવાનોએ બે લોકોને બહાર કાઢ્યા :અન્યની શોધખોળ ચાલુ

 

નડિયાદમાં ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશાયી થતા ભારે અફરાતફરી મચી જવા પામી છે

  જાણવા મળ્યા મુજબ નડિયાદના પ્રગતિનગરમાં હાઉસિંગ બોર્ડનું ત્રણ માળની ઇમારત મોડીરાત્રે ધરાશાયી થતા 10 થી વધુ લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે .

  ઘટનાની જાણ થતા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે ફાયર સેફ્ટી વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવતા  પોલીસ કાફલો દોડી ગયો છે તેમજ  સ્થાનિકોની મદદથી દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.

  દરમિયાન  ફાયર બ્રિગેડના જવાનોએ બે લોકોને બહાર કાઢ્યા છે અને અન્યની શોધખોળ હાથ ધરાઈ છે

 

(1:08 am IST)