Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

ગેરવર્તનથી અધયાપકો ખફા :ગુજરાત યુનિવર્સિટી અધ્યાપક મંડળ દ્વારા કુલપતિને આવેદન પાઠવ્યું

ગુજરાત યુનિવર્સીટી અધ્યાપક મંડળ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આવેદન અપાયું હતું  અધ્યાપકો સામે કરવામાં આવેલા ગેર વર્તનને લઈને અધ્યાપકો યુનિવર્સિટી પહોંચ્યા હતા અને કુલપતીને રજૂઆત કરી હતી.

 અત્રે ઉલેલ્ખનીય છે કે એનએસયુઆઇ અને એબીવીપી વચ્ચે છૂટા હાથની મારામારીની ઘટના બની હતી. તોડફોડ કરીને ગુજરાત યુનિવર્સિટીની મિલ્કતને પણ નુકસાન પહોંચાડયુ હતુ.એનએસયુઆઇ અને એબીવીપીએ એકબીજા સામે આક્ષેપો કર્યા બાદ મામલો ગરમાયો હતો. જેમાં એબીવીપીએ કોંગ્રેસના નેતાઓની કોલેજ ચલાવવા માટે ગ્રાન્ટેબલ કોલેજની સીટો રદ કરાઇ હોવાના આક્ષેપ બાદ પરિસ્થિતી વણસી હતી

 અત્રે ઉલ્લેખનિય છે કે સરકાર દ્વારા ઇડબલ્યુએસના અમલીકરણ માટે વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ગ્રાન્ટેડ કોલેજોમાં 25 ટકા સીટો વધારવાનો આદેશ કર્યો છે.

(1:46 pm IST)