Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

તા.૧૩ થી ૧૮ ભાજપના મોરચા સભ્ય નોંધણી માટે તમામ તાકાત કામે લગાડશેઃ તા.ર૧ થી ર૭ વિસ્તારક યોજના

કુલ લક્ષ્યાંકની પ૦ ટકા કામગીરી માટે એકલો યુવા મોરચો સજ્જઃ ડો. ઋત્વિજ પટેલ

રાજકોટ તા. ૧૦ : ભાજપના વિવિધ મોરચાના પદાધિકારીઓની બેઠક ગઇકાલે કમલમી પ્રદેશ કાર્યાલય ખાતે મળેલ જેમાં પાર્ટીના નેતાઓએ સદસ્યતા વૃધ્ધિ અભિયાનને વધુ વેગવાન બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.

ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલે જણાવ્યા મુજબ સદસ્યતા અભિયાનને વધુ વેગ આપવા યુવા મોરચો, કિશાન મોરચો લઘુમતી મોરચો, બક્ષીપંચ મોરચો, અનુસૂચિત જાતિ-જનજાતિ મોરચો વગેરેને ખાસ જવાબદારી સોંપાયેલ છે તા. ૧૩ થી ૧૮ બધા મોરચાઓ વિશેષ અભિયાન આદરશે. રાજયમાં પાર્ટીએ સદસ્યતા નોંધણી માટે નકકી કરેલા કુલ લક્ષ્યાંકની અડધી કામગીરી એકલા યુવા મોરચાએ કરવા માટે બીડુ ઝડપ્યુ છે. શાળા-કોલેજ, છાત્રાલય વગેરે સંસ્થાઓમાં જઇને નોંધણી કરવામાં આવશે. તા.ર૧ થી ર૭ પાર્ટીની વિસ્તારક યોજના આવી રહી છે પાર્ટીના વિસ્તારકો પોતાના શકિત કેન્દ્રથી અલગ વિસ્તારમાં જઇને સદસ્યતા નોંધણી માટે ઝૂંબેશ ચલાવશે તા.ર૯ જુલાઇથી ૧૧ ઓગસ્ટ સુધી બસ સ્ટેશન, એરપોર્ટ, રેલવે સ્ટેશન વગેરે જગ્યાઓ પર જઇને વ્યકિત વિશેષ અને વિવિધ ક્ષેત્રના વ્યવસાયીઓને સભ્ય બનાવવા  માટે કામગીરી કરાશે.

ડો. ઋત્વિજ પટેલે ભાજપના સંગઠન પર્વમાં યુવાનોને જોડાવાની અપીલ કરતા જણાવેલ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રપ્રેમી વિચારધારાનું રાજનૈતિક ક્ષેત્રમાં ૧૯૮૦ થી પ્રતિનિધિત્વ કરતું સંગઠન એટલે ભારતીય જનતા પાર્ટી ભાજપ રાષ્ટ્રની સલામતી, દશેનો વિકાસ, પ્રત્યેક નાગરિકને ન્યાય અને ખુશામતખોરી કોઇની પણ નહીના સિદ્ધાંતને આત્મસાત્ કરી નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહના નેતૃત્વમાં સમગ્ર વિશ્વના સૌથી મોટા પક્ષનું ગૌરવ પ્રાપ્ત કરી શકયો છ.ે નરેન્દ્રભાઇ મોદીએ બહુ સરસ કહ્યું છે. કે પક્ષના સુવર્ણ યુગમાં અમારે તો આ દેશના પ્રત્યેક નાગરીક સુધી પહોંચીને લોકશાહીના મુળ સાથે જ જોડાઇ રહેવું છે માટે જ આજે ભાજપ આપની પાસે આવ્યંુ છે. આપની સાથે વિચારધારાથી જોડાવવા તેમ જોડાવા માટે નિમંત્રણ છે.

૮૯૮૦૮ ૦૮૦૮૦ નંબર પર મોબાઇલથી નિઃશુલ્ક ડાયલ કરી ભાજપના સભ્ય બની શકાય છે.

(1:20 pm IST)