Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

બેઇજ્જતીનો બદલો લેવા ૮ વર્ષની નણંદને કૂવામાં ફેંકી ભાભીએ હત્યા કરી

બાંસવાડા, તા. ૧૦ :  ગામ લોકો સામે થયેલી બેઇજ્જતીથી ગુસ્સે થયેલી ભાભીએ બદલો લેવા માટે પોતાની ૮ વર્ષની નણંદ માયાને કુવામાં ધકેલી દીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. ચોરીના ઇરાદે પોતાના દિયરના મકાનમાં ધુસેલી ગુડ્ડીની પોલ માયાએ ઘટનાસ્થળે મળેલ ચપ્પલ ઓળખીને ખોલી નાખી હતી. જેના કારણે ગુડ્ડીની ગામ લોકો સામે બેઇજજતી થઇ ગઇ હતી.  આ ઘટના પછી તે માયા સામે બદલો લેવાની ફીરાકમાં હતી. પોલીસ અને કુટુંબીજનો અનુસાર બુધવારે ગુડ્ડી લાકડા લાવવાનું બહાનુ કરીને માયાને પોતાની સાથે જંગલમાં લઇ ગઇ હતી. ત્યાં એક કુવા પાસે જઇને તેણે કહ્યું જો માયા આ કુવામાં શું દેખાય છે. આ સાંભળીને માયા કૌતુહલ વશ દોડીને ભાભીની પાસે કુવા પર જઇને ઉભી રહી ગઇ. જેવું તેણે કુવામાં જોયું કે ભાભીએ તેને ધક્કો મારી દીધો.  માયા પછી ન આવતા તેની દાદી થાવરીએ માયાની પુછપરછ કરી ત્યારે ગુડ્ડી ગોળગોળ જવાબ આપવા લાગી પછી દાદીએ હત્યાનો આરોપ મુકીને પોલીસ ફરીયાદ દાખલ કરી હતી. (૯.૧૦)

(2:51 pm IST)