Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ગુજરાત યુનિ.માં ઉપકુલપતિ, કેટલાક અધિકારી અને કર્મચારી તેમજ ૩ અધ્યાપક સહિત આઠથી વધુ લોકોને કોરોના પોઝિટવ

બુધવાર સુધી કાર્યાલય બંધ રહેશે: અધિકારીઓ-કર્મચારીઓને વર્ક ફ્રોમ અપાયું

અમદાવાદ :ગુજરાત યુનિ.માં ઉપકુલપતિ અને અન્ય કેટલાક અધિકારી અને કર્મચારી તેમજ ૩ અધ્યાપક સહિત આઠથી વધુ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. જેને પગલે આગામી બુધવાર સુધી અધિકારીઓ-કર્મચારીઓને વર્ક ફ્રોમ આપવામા આવ્યુ છે અને બુધવાર સુધી કાર્યાલય બંધ રહેશે

 અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા યુનિ.ના ભાષા ભવનના કર્મચારી રાજેશ શાહ કોરોનાની રસી લીધા બાદ કોરોનાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન તેમનું અવસાન થયુ હતુ.

  યુનિ.દ્વારા હાલ ટાવર બિલ્ડીંગના મુખ્ય કાર્યાલયમાં તમામ અધિકારી-કર્મચારીને ઘરેથી કામ કરવા સૂચના અપાઈ છે.શનિ-રવિ યુનિ.માં રજા જ હતી અને ૧૩મીથી તથા ૧૪મી એપ્રિલ બંને દિવસ પણ જાહેર રજાને લીધે યુનિ.બંધ હતી.જેથી સોમવારે ૧૨મીએ રજા આપવામા આવી છે અને આમ બુધવાર ૧૪મી સુધી યુનિ.માં રજા આપવામા આવી છે જેથી કેમ્પસ બંધ રહેશે.

(10:27 am IST)