Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

અમેરિકા લઇ જવાની લાલચ આપી લગ્ન કરી દહેજની માંગણી કરનાર અમદાવાદી સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદ:શહેરમાં નવરંગપુરામાં રહેતી એક યુવતીને અમેરિકા લઈ જવાની લાલચ આપીને લગ્ન બાદ દહેજની માંગણી કરી ત્રાસ આપનારા સાસરીયાઓ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ બનાવની વિગત મુજબ નવરંગપુરામાં હિન્દુ કોલોનીમાં રહેતા નિષ્ઠાબહેન (૨૬) ના લગ્ન ૩૧ જાન્યુઆરી ૨૦૧૭ નાં રોજ મુંબઈના માટુંગામાં રહેતા જય અશોકભાઈ પટેલ સાથે થયા હતા. ૨૦૧૬ માં નિષ્ઠાબહેન દહેરાદુનમાં ટ્રેકિંગમાં ગયા ત્યારે તેમની ઓળખ જય સાથે થઈ હતી. જયએ નિષ્ઠાબહેનને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું પણ તે સમયે ના કહી હતી.

દરમિયાાન જયના માતાપિતા નિષ્ઠાબહેનના ઘરે આવ્યા હતા અને જય અમેરિકામાં ન્યુયોર્કમાં બેન્કમાં નોકરી કરતો હોવાનું તથા ગ્રીન કાર્ડ ધરાવતો હોવાનું કહી લગ્ન બાદ નિષ્ઠાને અમેરિકા લઈ જશે, એવો ભરોસો આપ્યો હતો. ઊપરાંત તેઓ દહેજની અપેક્ષા રાખતા ન હોવાનું પણ કહ્યું હતું. જાન્યુઆરી ૨૦૧૭ માં જય ભારત આવતા નિષ્ઠા સાથે લગ્ન થયા હતા.

નિષ્ઠાબહેને પતિને વાત કરતા તણેે ગાળો બોલીને હવે મને તારામાં કોઈ ઈન્ટરેસ્ટ રહ્યો નથી તેં મારા લગ્નની પ્રપોઝલ સ્વીકારી નહી એટલે હેરાન કરવા તારી સાથે લગ્ન કર્યા હોવાનું કહ્યું હતું. બાદમાં સારરીયાઓએ નિષ્ઠાબહેનને છુટાછેડા માટે દબાણ શરૃ કર્યું હતું. છુટાછેડા નહી આપે તો તારા માતાપિતાને ખોટા કેસમાં ફસાવી દઈશું, એવી ધમકી પણ આપી હતી. આ અંગે નિષ્ઠાબહેને પતિ જય, સસરા અશોકભાઈ, સાસુ પ્રતિભા પટેલ અને નણંદ શૈફાલી વિરૃધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(7:52 pm IST)