Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

21મીથી આહીર સ્વાભિમાન યાત્રાનો ભાલકાતીર્થથી પ્રારંભ :દિલ્હી પહોંચશે

ભારતીય સૈન્યમાં અલગ આહીર રેજિમેન્ટની માંગણી :સમગ્ર દેશમાં યાત્રા ભ્રમણ કરશે

અમદાવાદ :ભારતીય સૈન્યમાં અલગ આહીર રેજીમેન્ટની માગ સાથે આહીર સમાજ 21 જાન્યુઆરીથી સોમનાથમાં ભાલકાતીર્થથી આહીર સ્વાભિમાન યાત્રા કાઢવાનું આયોજન કરાયું છે

  અધિકાર મંચના પ્રમુખ અને યુવા નેતા પ્રવીણ રામે કહ્યું કે આહીર રેજીમેન્ટના મુદ્દાને લઈ સમગ્ર દેશમાં સ્વાભિમાન યાત્રા ભ્રમણ કરશે. અને ફેબ્રુઆરીમાં આ યાત્રા દિલ્હી પહોંચશે.  

  પ્રવીણ રામે કહ્યું કે ભગવાન શ્રીકૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો તે ભાલકાતીર્થ ભૂમિથી યાત્રાનો પ્રારંભ થશે. અને શ્રીકૃષ્ણના દેશહિત અને રાષ્ટ્રભાવનાના આદેશોને અનુસરીને દેશના 26 કરોડ આહીર સમાજ સેનામાં અલગ રેજીમેન્ટની માગણી કરી રહ્યાં છે.

(12:30 pm IST)