Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

અમદાવાદ નજીક લેક્ટોન કંપનીમાં ગેસની ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ મજૂરોના ગૂંગળામણના કારણે મોત

રવિવારે નિયમિત રૂપે થતી ગેસની ટાંકી સફાઈ કરવા આઠથી દસ મજૂરો ઉતર્યા હતા

અમદાવાદ નજીક બાવળા ચાંગોદર રોડ ઉપર આવેલી એક કંપનીમાં ત્રણ મજૂરોના ગૂંગળામણના કારણે મોત નીપજ્યા છે રવિવારનો દિવસ હોવાના કારણે નિયમિત રૂપથી ટાંકી સાફ કરવાની માટે કામદારો ટાંકીમાં ઉતર્યા હતા ટાંકીમાં થોડો ગેસ બાકી હોવાના કારણે ત્રણ મજૂરોનો શ્વાસ રૂંધાયો હતો. જેના પગલે તેમના મોત નીપજ્યા હતા.ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.


  મળતી માહિતી મુજબ અમદાવાદ નજીક બાવળા ચાંગોદર રોડ ઉપર લેક્ટોન કંપની આવેલી છે. આજે રવિવારનો દિવસ હોવાના કારણે કંપનીમાં રૂટિન સાફસફાઇ હાથધરવામાં આવી હતી. જેના પગલે ગેસની ટાંકીને સાફ કરવાની કામગીરી હાથધરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગેસની ટાંકી સાફ કરવા માટે 8થી 10 મજૂરો ટાંકીમાં ઉતર્યા હતા.

   જોકે, ટાંકીમાં થોડો ગેસ બાકી રહ્યો હોવાથી મજૂરોને શ્વાસ લેવામાં તકલિફ પડી હતી. આમ ગૂંગળામણના કારણે ત્રણ મજૂરોના મોત નીપજ્યા હતા. તો બીજી મજૂરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાંજ પોલીસ અને ફાયર બ્રિગેટની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કામગીરી હાથધરી હતી

 

(5:51 pm IST)