Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

સુરતના સગરામપુરામાં નિરાધાર દંપતીને વાતોમાં ફોસલાવી મહિલાએ 1.06 લાખના દાગીના પચાવી પાડતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના સગરામપુરા મોટી લાલવાડીના ઘર નં. 2/1856 માં રહેતા નિસંતાન હસમુખ જમનાદાસ શર્મા (ઉ.વ. 75) અને તેમની પત્ની ભાનુમતી શર્મા (ઉ.વ. 70) ગત સવારે 11 વાગ્યે ઘરે હતા ત્યારે એક મહિલા આવી હતી. 

મહિલાએ દંપતીને તમે નિરાધાર અને ગરીબ કુટુંબમાં આવો છો એટલે સરકાર તરફથી રૂપિયા મળશે તેવી લાલચ આપી વૃધ્ધ હસમુખભાઇને રીક્ષામાં બેસાડી નવી સિવિલ હોસ્પિટલ લઇ ગઇ હતી. 

હોસ્પિટલ પહોંચ્યા બાદ આજે રવિવાર હોવાથી કામકાજ બંધ છે એમ કહી હસમુખભાઇને પગપાળા ઘરે મોકલી આપ્યા હતા. બીજી તરફ હસમુખભાઇ ઘરે પહોંચે તે પહેલા ઠગ મહિલા પુનઃ હસમુખભાઇના ઘરે પહોંચી ગઇ હતી અને ભાનુમતીબેનને દાદા બહુ ગુસ્સો કરે છે, તમને ફોટા પડાવવા બોલાવે છે અને મંગળસુત્ર અને બંગડી કાઢીને મુકી દેવા કહ્યું છે. એમ કહી ભાનુમતીબેનને ઓટો રીક્ષામાં મજુરા ગેટ અને ત્યાંથી બીજી રીક્ષામાં સ્ટેશન લઇ ગઇ હતી. 

 

(5:27 pm IST)