Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

સુરતમાં વ્યસન ન છૂટતું હોવાથી 31 વર્ષીય શખ્સે એસિડ ગટગટાવી લેતા સારવાર દરમ્યાન મોત

સુરત: શહેરની નવી સિવિલ શ્રી મળેલી વિગત મુજબ માન દરવાજા ખાતે પદમા નગરમાં રહેતા 31 વર્ષીય શ્રીનિવાસ સાહિલુભાઈ ગંજી રવિવારે રાત્રે ઘરમાં એસિડ ગટગટાવી ગયા હતા જેથી તેમને સારવાર માટે તેમને પત્ની નવી સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે શ્રીનિવાસ દારૂ પીવાની કુટેવ હોવાથી ગુરુ કંકાસ થતો હતો જેના લીધે જ કે દારૂ છોડવા માંગતો હતો પણ તેનાથી દારૂ છુટતો ન હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે પણ તપાસ દરમિયાન હકીકત જાણવા મળશે જ્યારે શ્રીનિવાસ ને બે સંતાન છે તે મશીનનું રીપેરીંગનું કામ કરતો હતો આ અંગે સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:26 pm IST)