Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

સુરતના પરિવારને જલગાંવ નજીક અકસ્માત; બે નાના બાળકો સહીત ત્રણના મોત:ચારને ઇજા

 

મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લાના પારોળા તાલુકાના મોંઢાળે નજીક  ટ્રક અને કારની વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં કારમાં સવાર બે નાના બાળકો અને એક યુવાનનું મોત થયું હતું, જ્યારે અન્ય ચાર લોકોને ઇજા પહોંચી છે .

   જાણવા મળ્યા મુજબ કારમાં સવાર તમામ મુસાફરો સુરતના રહેવાસી હતા.માહિતી મુજબ અકસ્માતમાં ભોગ બનનાર પરિવારના સભ્યો સુરતથી 8 ઓક્ટોબરના રોજ મોડી રાત્રિએ 2 કલાકે બે કારમાં સવાર થઇ બહેનના શ્રીમતના પ્રસંગમાં જઇ રહ્યા હતા. સુરતથી મહારાષ્ટ્રના જલગાંવ જતી વખતે સોમવારે સવારે તેમને એક અકસ્માત નડ્યો હતો.
 
અકસ્માતમાં મૃતકના નામમાં મુન્નાભાઈ શેખ (,,46 ) ( રહે સુરતહુમેરા શેખ ઉમર ,, 7)  શેખ હસનેન ત્રણેય પિતા પુત્રની ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.

(12:09 am IST)