Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

સેક્ટર 2 ના જેસીપી અશોક કુમાર યાદવે નરોડા જીઆઇડીસીની મુલાકાત લીધી:બિન ગુજરાતીઓને મળ્યા:કહ્યું આપ સલામત છો

 

અમદાવાદ :તમામ બિન ગુજરાતી કર્મચારીઓમાં સુરક્ષા ને લઈને વિશ્વાસ સંપાદન થાય તેવા હેતું થી સેક્ટર 2 ના જેસીપી અશોક કુમાર યાદવે નરોડા જીઆઇડીસી ની મુલાકાત કરી હતી. જ્યાં મોટી સંખ્યામાં કામ કરતા બિન ગુજરાતીઓ ને મળ્યા હતા.

જેસીપી અશોક કુમાર યાદવે આશ્વાસન આપ્યું હતું કે અમદાવાદ શહેર માં આપ સલામત છો અને શહેર પોલીસ સુરક્ષાની દ્રષ્ટિ કટિબદ્ધ છે. શહેર ના પૂર્વ વિસ્તારમાં ઘણા ઔધોગિક એકમો આવેલા છે, જ્યાં મોટી સંખ્યામાં બિન ગુજરાતી લોકો વસવાટ કરે છે.

સાબરકાંઠા ના હિમંતનગરના ઢુંઢર ગામમાં 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મના કિસ્સા બાદ રાજ્યના સંખ્યાબંધ વિસ્તારોમાં પરપ્રાંતિયો, ખાસ કરીને યુપી અને બિહારના લોકો સામે હુમલાના બનાવોના કારણે ભયનો માહોલ છે.

(12:48 am IST)