Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સુરત:સલાબતપુરામાં રિક્ષાચાલકના પિતાની માલિકીની રમ દૂરના સંબંધીએ બોગસ દસ્તાવેજના આધારે પચાવી પાડતા છેતરપિંડીનો ગુનો દાખલ

સુરત: શહેરના સલાબતપુરા રેશમવાડમાં રહેતા રીક્ષાચાલકના પિતાની માલિકીની રુમ તે જ મકાનમાં ઉપરના માળે રહેતા દૂરના સંબંધીએ બિમારીમાં થોડા સમય માટે લીધા બાદ બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડી ખાલી ન કરતા સલાબતપુરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સલાબતપુરા રેશમવાડ ઘર નં .3/1642,1643 અને ઘર નં.1595-અ માં રહેતા 34 વર્ષીય રીક્ષાચાલક નિશાર એહમદ નુરમોહમદ શેખના પિતા 9 નવેમ્બર 2011 ના રોજ મૃત્યુ પામ્યા હતા. 70 વર્ષથી ઘર નં. 3/1642,1643 માં ભાડુઆત તરીકે રહેતા તેમના પિતા મહાનગરપાલિકામાં વેરો પણ ભરતા હતા અને તેમના મૃત્યુ બાદ નિશારભાઈ વેરો ભરતા હોય વર્ષ 2018-19 સુધી વેરાબિલમાં તેમના પિતાનું નામ ચાલતું હતું. જોકેતે જ મકાનમાં ઉપરના માળે પત્ની ઝરીનાપુત્ર સાકીર સાથે રહેતા દૂરના સંબધી ઇશાક રાજા ઉર્ફે તેજા વર્ષ 2017 માં પગથીયા ચઢતા પડી જતા શરીરે અને માથામાં ઇજા થઈ હતી. તેમને ઉપરના માળે પગથીયાં ચઢવામાં તકલીફ થતી હોય તેમણે નીચેનો રૃમ થોડો સમય માટે વાપરવા આપવા વિનંતી કરતા રીક્ષાચાલક નિશારભાઈએ રૃમ આપ્યો હતો.

(5:10 pm IST)