Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

ઘટનાના ૩ દિવસ બાદ પણ એફઆઈઆર નોંધાઈ નથી

શ્રેય હોસ્પિટલ આગમાં એક નવો ખુલાસો : પોલીસનું કહેવું છે કે, તેઓ ફોરેન્સિક લેબના રિપોર્ટ તેમજ ઈલેક્ટ્રિકલ વિભાગના અભિપ્રાયની રાહ જોઈ રહ્યા છે

અમદાવાદ, તા.૯ : શ્રેય હોસ્પિટલના આઈસીયુ આગની ઘટનામાં આઠ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ નવરંગપુરા પોલીસે હજી સુધી એફઆઈઆર નોંધી નથી. એ ડિવીઝનના એસીપી એલ બી ઝાલાએ કહ્યું કે તેઓ ફોરેન્સિક રિપોર્ટ અને ઇલેક્ટ્રિકલ વિભાગના અભિપ્રાયની રાહ જોઈ રહ્યા છે. પાછલા સાત વર્ષમાં હોસ્પિટલમાં આગની ૯ ઘટનાઓ બની છે અને આમાંથી કોઈ પણ કિસ્સામાં એફઆઈઆર નોંધાવવામાં એટલો સમય લાગ્યો ન હતો જેમાં ભલે કોઈને નુકસાન કે ઈજા થઈ હોય. સામાન્ય રીતે તપાસ દરમિયાન જ પોલીસ દ્વારા સિવિક ફાયર ડિપાર્ટમેન્ટ, એફએસએલ એક્સપર્ટની મદદથી ઈન્વેસ્ટિગેશન કરવામાં આવે છે.  અધિકારીઓએ દાવો કર્યો કે, પોલીસે ઘટનાના એક કે બે દિવસમાં જ ફરિયાદ દાખલ કરી હતી. વર્ષ ૨૦૦૮માં શારદાબેન હોસ્પિટલના નિયોનેટલ કેર યુનિટમાં લાગેલી આગની વાત પણ સાચી હતી.

              જેમાં ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે નવજાત બાળકનું ઈક્ન્યુબેટરમાં જ ભડથું થયું હતું! ૩ નાગરિક અધિકારીઓએ સ્વીકાર્યું કે ૮૬૭ જેટલી નાની હોસ્પિટલો કે જેમાં ૨૦ કરતા ઓછા બેડ હોય ત્યાં બચાવ કામગીરી માટે ફાયર સેફ્ટી અને રેસ્ક્યુ ઓપરેશન માટે સ્પેસની વાત કરવામાં આવે ત્યારે ત્યાં નેશનલ બિલ્ડિંગ કોડ હેઠળ ઉલ્લંઘન થતું હોવાનું જાણવા મળે છે. નેશનલ એક્રીડિટેશન બોર્ડ ફોર હેલ્થ એન્ડ હેલ્થકેયર પ્રોવાઈડર્સ હેઠળ મોટાભાગના લોકો ઈલેક્ટ્રિક પાવર લોડ પરીક્ષણને પણ પૂર્ણ કરતા નથી. એએમસીના સીનિયર અધિકારીએ સ્વીકાર્યું કે, 'અમે આ હોસ્પિટલોને પિન નથી કરી શકતા કારણ કે, રાજ્ય સરકારે ઓછી ફી વસૂલ્યા બાદ ગુજરાત અનધિકૃત વિકાસ અધિનિયમ ૨૦૧૧ હેઠળ આ ઇમારતોને નિયમિત કરી દીધી છે. આ કાયદામાં હોસ્પિટલો જેવી સંવેદનશીલ ઇમારતોનું કોઈ માપદંડ નહોતું. આ બધાને કોમર્શિયલ, રેસિડેન્સિયલ અથવા પાર્કિંગની ઉપલબ્ધતાના આધારે વ્યાપક કેટેગરીમાં પાસ કરવામાં આવ્યા હતા.

(9:55 pm IST)