Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

નાંદોદના કરાઠા ગામે ૫ કોરોના પોઝિટિવ સહિત નર્મદા જિલ્લામાં ૧૦ કોરોનાના કેસ નોંધાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલ કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે આજે નર્મદા જિલ્લામાં ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.

નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લા માં ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં રાજપીપળા માં હાઉસિંગ બોર્ડ ૧ , રાજપૂત ફળિયું ૧, મોટા માલિવાડ ૧, કડીયાભૂત ૧, લક્ષ્મીનારાયણ મંદિર ૧ એમ કુલ ૫ કોરોના પોઝિટિવ નોંધાયા છે ઉપરાંત નાંદોદ તાલુકાના કરાઠા ગમે ૫ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે આમ જિલ્લામાં કુલ ૧૦ પોઝિટિવ દર્દી નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૨૯ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૨૫ દર્દી દાખલ છે આજે ૧૦ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૪૧૭ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૪૭૭ એ પોહોચ્યો છે આજે વધુ ૨૮૪ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(5:25 pm IST)