Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

વડોદરા: કારેલીબાગમાં પરિણીતાનું ભેદી સંજોગોમાં મોત

વડોદરા:ના કારેલીબાગમાં રહેતી પરિણીતા શંકાસ્પદ હાલતમાં મોતને ભેટી છે ત્યારે પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે પરિણીતાના પતિ સહિત સાસરીયાઓએ દહેજની માગણી પૂરી ન થતા પરણીતાને મોતને ઘાટ ઉતારી છે. પરિણીતાના પતિએ પણ પોલીસ મથકે સરન્ડર કર્યુ છે પરંતુ આ હત્યા છે કે આત્મહત્યા તે રહસ્ય અકબંધ રહ્યુ છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારના તિરુપતિ ફ્લેટ્સમાં રહેતા પાર્થ શાહના પ્રેમ લગ્ન ભીશ્મિકા જોશી સાથે થયા હતા. લગ્નના 4 વર્ષ બાદ જ અચાનક ગત રાત્રીએ ભીશ્મિકાનું મૃત્યુ થયું છે. તેવી જાણ સાસરિયાઓએ તેના પિતા કિશોર જોશીને કરી હતી અને ભીશ્મિકાનો મૃતદેહ એસ.એસ.જી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં પડ્યો હોવાનું જણાવ્યું હતું. પુત્રીના મોતની ખબર પડતા જ ભીશ્મિકાના પરિવારને આંચકો લાગ્યો હતો. હવે સમગ્ર મામલે પરિણીતાના પરિવારનું કહેવું છે કે ભીશ્મિકાનું મોત કયા કારણોસર થયું છે તે જણાવ્યા વિના અને પોલીસને જાણ કર્યા વિના મૃતદેહને સીધો સયાજી હોસ્પિટલ કેવી રીતે લઇ જઇ શકે? ભીશ્મિકાના મૃતદેહ પર ઘસરકાના નિશાન મળી આવ્યા છે. જેનાથી પ્રાથમિક દ્રષ્ટીએ પરિવારનું કહેવું છે કે ટુ વ્હીલર પર તેના મૃતદેહને લાવવામાં આવ્યો છે.
 

(5:44 pm IST)