Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ

મગફળીકાંડમાં સરકાર કોંગ્રેસને ટાર્ગેટ કરતી હોવાથી રાજીનામુ આપ્યાની ચર્ચા

મગફળી કાંડ મામલે નાફેડના ચેરમેન વાઘજી બોડાએ  કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. વાઘજી બોડાએ મગફળીમાં માટી કાંડ મામલે સરકારને જવાબદાર ગણાવી હતી.વાઘજી બોડાએ નિવેદન આપવામાં ઉતાવળ કરી હોવાના પગલે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે.

 રાજકોટ પોલીસે  મગફળી કાંડ મામલે કુલ 27 જેટલા લોકોની ધરપકડ કરી છે.  જેમા કેટલાક કોંગ્રેસના કાર્યકર હોવાનો આક્ષેપ પર કરવામાં આવ્યો હતો

  વાઘજીભાઈ બોડા હાલમાં નાફેડના ચેરમેન છે. જેમના પર કોંગ્રેસી હોવાને પગલે સરકાર કોંગ્રેસને ટાર્ગેટ કરી રહી હોવાથી તેઅોઅે કોંગ્રેસમાંથી રાજીનામું અાપ્યું છે. 

(12:41 pm IST)