Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મુખ્યમંત્રી બાળ સેવા યોજના' હેઠળ હવે બાળકોને 21 વર્ષની વય સુધી માસિક 4,000ની સહાય અપાશે

વય મર્યાદા અગાઉ 18 વર્ષની હતી તે વધારીને હવે 21 વર્ષની કરાઈ :માતા પિતાની છત્ર છાયા ગુમાવતા અનાથ અને નિરાધાર બનેલા બાળકો સાથે ગાંધીનગરમાં યોજાયેલા 'મોકળા મને' સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની જાહેરાત :

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ  કોરોનામાં માતા પિતાની છત્ર છાયા ગુમાવતા અનાથ અને નિરાધાર બનેલા  બાળકો સાથે ગાંધીનગરમાં યોજાયેલા 'મોકળા મને' સંવાદ કાર્યક્રમમાં   સંવેદનશીલ જાહેરાત કરી  છે

તેમણે આ મહત્વપૂર્ણ  સંવેદનશીલ જાહેરાત કરતા કહ્યું છે કે મુખ્યમંત્રી બાળ સેવા યોજના'  હેઠળ હવે  બાળકો ને 21 વર્ષની વય સુધી  માસિક રૂ. 4,000ની સહાય આપવામાં આવશે .
આ યોજનામાં  વય મર્યાદા અગાઉ 18 વર્ષની હતી તે વધારીને હવે 21 વર્ષની કરવામાં આવી છે.
એટલે કે કોરોના માં માતા પિતાનું અવસાન થતા નિરાધાર થયેલા બાળક ની વય 21 વર્ષ થતા સુધી રાજ્ય સરકાર દર મહિને 4000 ની સહાય આવા બાળક ને આપશે

(6:39 pm IST)