Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સંતરામપુર તાલુકાના રામભેમનામુવાડા માં ગૂમ થયેલ યુવાનની પરિણીત મહિલા સાથેના સંબંધની અદાવતને લઈને હત્યા થઇ હોવાનું બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી

સંતરામપુર:તાલુકાના રામભેમનામુવાડા ગામના ગુમ થઇ ગયેલા યુવાનની પરિણીત મહિલા સાથેના આડાસંબંધો સાથેની શંકાથી હત્યા થઇ હોવાની વિગતો બે સપ્તાહ બાદ બહાર આવી છે. હત્યા બાદ યુવાનની લાશને ખાળકૂવામાં નાંખી દીધી હોવાથી પોલીસે લાશને બહાર કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે ક ેરામભેમનામુવાડા ગામે રહેતો રણજીત કેસરા તા.૧૯ જૂનના રોજ તેના ઘેરથી બાઇક પર ચંદુભાઇ સાથે નીકળ્યો હતો અને નાનાઓરા ગામે ઝવરા ગલા બારિયાના ઘર પાસે રણજીત બાઇક પરથી ઉતરી ગયો હતો જ્યારે ચંદુભાઇ બાઇક લઇને જતો રહ્યો હતો.  ત્યારબાદ રણજીતની કોઇ ભાળ નહી મળતા માતાએ પુત્ર રણજીત ગુમ થયો  હોવાની જાણ સંતરામપુર પોલીસને કરી હતી.

દરમિયાન તા.૧ જુલાઇના રોજ નાનાઓરા ગામે બાબુભાઇ રાયસિંગ બારિયાએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. આ બનાવની તપાસમાં પોલીસને એવી વિગતો મળી હતી કે મૃતક બાબુભાઇની પત્ની પમીને તા.૧૯ના રોજ ગુમ થયેલા રણજીત સાથે આડાસંબંધો હતાં જેથી પોલીસે બંને બનાવોને સાંકળીને ઊંડી તપાસ કરી પમીની કડકાઇથી પૂછપરછ હાથ ધરતા પમીએ પોલીસ સમક્ષ રજૂ કરેલી વિગતોથી પોલીસ ચોંકી ગઇ હતી.

(5:29 pm IST)