Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ગાંધીનગર:ચિલોડા-હિંમતનગર હાઇવે નજીક ડાયવર્ઝનના કારણે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ગોઝારો અકસ્માત:ગંભીર ઇજાથી મોત

ગાંધીનગર:નજીક ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર બનેલી આ અકસ્માતની ઘટના સંદર્ભે મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ઠક્કરબાપાનગર ખાતે ઈન્દ્રજીત સોસાયટીમાં રહેતા વિનોદભાઈ અરજણભાઈ પટેલ અને તેમના નાનાભાઈ ધર્મેશભાઈ તેમજ તેમના મિત્રો વિક્રાંતભાઈ ગોપાલભાઈ પટેલ અને પ્રશાંતભાઈ ભીખાભાઈ પટેલ ગત શનિવારે કાર નં.જીજે-૧૮-બીવી-૬૪૩૭ લઈને કામ અર્થે ઉદેપુર ગયા હતા. જયાંથી તેઓ ગઈકાલે સાંજના સમયે અમદાવાદ આવવા મોટે નીકળી ગયા હતા. કાર ધર્મેશભાઈ ચલાવી રહયા હતા અને હિંમતનગર ચિલોડા હાઈવે ઉપર તેમની કાર પસાર થઈ રહી હતી તે સમયે રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે ચંદ્રાલા પાટીયા પાસે ડાયવર્ઝન આવતા ધર્મેશભાઈએ અચાનક જ કાર વાળી દીધી હતી જેના કારણે કાર પલટી ખાઈને રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારમાંથી તમામને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જયાં ફરજ ઉપરના તબીબે શરીરે ગંભીર ઈજાઓના કારણે ધર્મેશભાઈને મૃત જાહેર કર્યા હતા જયારે પ્રશાંતભાઈને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.

(5:59 pm IST)