Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

બોરસદના બદલપુર ગામે સાસુએ પુત્રવધૂને જીવતી સળગાવી

બોરસદ: તાલુકાના બદલપુર મોતીપુરા સીમ વિસ્તારમાં ગત ૧લી તારીખના રોજ સવારના સવા પાંચેક વાગ્યાના સુમારે સાસુ કૈલાશબેન રાજુભાઈ સિંધા દ્વારા જણસો બાબતે બોલાચાલી કરીને મેણાં ટોણા મારીને પુત્રવધુ હર્ષાબેનને થાંભલી સાથે દોરીથી બાંધીને શરીર પર કેરોસીન છાંટીને જીવતી સળગાવી દીધી હતી. ગંભીર હાલતમાં તેણીને સારવાર માટે બોરસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જો કે સસરા રાજુભાઈ ભીખાભાઈ સિંધા દ્વારા જાતે સળગી હોવાનું લખાણ લખાવવા માટે દબાણ કર્યું હતુ જેને લઈને પ્રાથમિક ડીડીમાં તેણીએ પોતે જાતે સળગી ગઈ હોવાનું નિવેદન આપ્યું હતુ. પરંતુ ગઈકાલે તેણીએ ઉક્ત હકિકત કહેતા વીરસદ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી હતી. દરમ્યાન મોડીરાત્રે ૧૨ વાગ્યે પરિણીતાનું અવસાન થવા પામ્યું હતુ જેથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને બન્નેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(4:32 pm IST)